“પથ્થરમાં ખીલેલું પુષ્પ”
એક અંતરયાત્રા, સુરેશદાદા્ની સંગાથે.
(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)
જીવનના સક્રીય ભાગ દરમિયાન આધિભૌતિક બાબતોને પલાયનવાદી માનનાર આ જણ બાહ્ય જગતના દંભ અને છલનાઓથી વ્યથિત બનીને અંતરની યાત્રામાં ગમતીલો પથ શોધવા ઘણા વર્ષોથી પ્રયત્નશીલ રહ્યો છે. ક્યાંક એક ચીજ ખૂટતી લાગે તો ક્યાંક બીજી. કશેય મન ન જ લાગે.
પણ ૨૦૧૨ની ભારત યાત્રા દરમિયાન એની ખોજ પૂરી થઈ.
આ ચિત્રકથાથી આ લેખમાળાની શરૂઆત ….( કોઇ પણ ચિત્ર પર ક્લિક કરો , અને સરસ મજાનો સ્લાઈડ શો માણો .)
જો કે, એ યાત્રા ચિત્રો કે શબ્દોથી કદીય સંભવિત નથી. પરમ તત્વની અનુભૂતિ તો અનુભવ થકી જ શક્ય બને ને?