Tag Archives: શૃંગારશતક

શૃંગારશતક (૫) – ઋતુવર્ણન (વર્ષા)

હવે ગુજરાતમાં પણ વર્ષારાણીનો રૂમઝુમ રૂમઝુમ પદરવ સંભળાય છે. તો આવો આપણા જાણીતા શૃંગારશતક માંથી વર્ષાના માદક વર્ણનનો આસ્વાદ માણીએ. અહીં કવિશ્રી ભર્તૃહરિએ છ મુક્તકોમાં વર્ષાઋતુનું અદ્‌ભુત રસિક વર્ણન કરેલું છે. વરસાદમાં ભિંજાવાથી સળેખમ થવાનો ભય જેને સતાવતો હોય તેવા સુકાભઠ્ઠ માણસો પણ આ મુક્તકોથી ભિંજાઇ જશે ! તેની મને ખાત્રી છે. 

तरुणीवेषोद्‌दीपितकामा विकसज्जातीपुष्पसुगन्धिः ।
उन्नतपीनपयोधरभारा प्रावृट्‌ तनुते कस्य न हर्षम्‌ ॥९०॥

 તરુણી જેવા (શ્યામ) વેષથી જેણે કામને ઉદ્‌દીપિત કર્યો છે તેવી, ખીલી ઊઠેલી માલતીનાં પુષ્પોથી મહેકતી, ઊંચા અને ઘટ પયોધર (વાદળાં, સ્તનો) ના ભારથી ઝુકેલી આ વર્ષા કોને આનંદ ન આપે ?

 

वियदुपचितमेघं भूमयः कन्दलिन्यो
नवकुटजकदम्बामोदिनो गन्धवाहाः ।
शिखिकुलकेकारावरम्याः वनान्ताः
सुखिनमसुखिनं वा सर्वमुत्कण्ठयन्ति ॥९१॥

 ઘટાટોપ મેઘથી છાવાયેલું આકાશ (લીલા) તૃણાંકુરોથી આચ્છાદિત ભૂમિ, તાજા ખીલેલા કુટજનાં સમૂહોથી સુગંધી વાયુઓ, મયૂરવૃંદનાં ટહુકાથી રમ્ય બનેલા વનનાં સીમાડાઓ; આ બધું સુખીઓને અને દુઃખીઓને સહુને ઉત્કંઠા જગાડે છે.


(कुटज = કુટજ = ’કડું’ નામે ઓળખાતું એક પ્રકારનું ઔષધીય ગુણો ધરાવતું વૃક્ષ, જેના બીજ  ઈન્દ્રજવ નામે પણ ઓળખાય છે. (En: Holarrhena antidysenterica) વર્ષાઋતુમાં તેમાં માદક ગંધ ધરાવતા ફૂલો આવે છે.)

 

उओअरि घनं घनपटलं तिर्यग्गिरयोऽपि  नर्तितमयूराः ।
क्षितिरपि कन्दलधवला दृष्टिं पथिकः क्व पातयति ॥९२॥

 ઉપર ઘનઘોર મેઘઘટા છે, આડી પડેલી ગિરિમાળા ઉપર મયૂરો નૃત્ય કરે છે, ભૂમિ પણ તૃણાંકુરોથી ધવલ બની છે. પથિક, નજર કરે તો પણ ક્યાં કરે ?

 

इतो विदुद्वल्लीविलसितमितः केतकीतरोः
स्फुरन्गन्धः प्रोद्यज्जलदनिनदस्फूर्जितमितः ।
इतः केकीक्रीडाकलकलरवः पक्ष्मलदृशां
कथं यास्यन्त्येते विरहदिवसाः संभृतरसाः ॥९३॥

આ તરફ વીજળી ચમકારા કરે છે. આ બાજુ કેતકી (કેવડો) વૃક્ષની સુવાસ પ્રસરી રહી છે. આ તરફ ચડી આવતા મેઘની ગર્જના થાય છે અને આ બાજુ ક્રીડા કરતા મયૂરના ટહૂકા થાય છે. સુંદર પાંપણવાળી સુંદરીઓના રસથી ભરેલા આ વિરહના દિવસો કેવી રીતે વીતશે ?

असूचीसंचारे तमसि नभसि प्रौढजलद-
ध्वनिप्राज्ञं मन्ये पतति पृष्तानां च निचये ।
इदं सौदामन्याः कनककमनीयं विलसितं-
मुदं च मलानिं च ग्रथयति पथि स्वैरसुदृशाम्‌ ॥९४॥

જ્યારે સોયની અણીથી પણ ન ભેદી શકાય તેવો (ગાઢ) અંધકાર છે, આકાશમાંથી જ્યારે ઘટાટોપ મેઘની ગર્જનાનો ધ્વનિ પોતાનો છે એમ માનીને જલબિંદુઓ વરસે છે, ત્યારે વીજળીનો આ સોનાના જેવો સુંદર ચમકારો, સ્વૈરવિહાર કરતી સુંદરીઓના માર્ગમાં હર્ષ અને ગ્લાનિ (બંન્ને) પ્રગટાવે છે.


(असूचीसंचारे = સોયની અણી પણ જ્યાં પ્રવેશી ન શકે તેવું / मुदं च मलानिं च = હર્ષ અને શોક = અંધકારમાં વીજળીનો ચમકારો થવાથી, સ્વૈરવિહારિણી અભિસારિકાને માર્ગ દેખાય છે તેથી હર્ષ થાય છે અને પ્રકાશમાં કોઇ જોઇ જશે તેવા ડરને કારણે ગ્લાનિ થાય છે.)

 

आसारेण न हमर्यतः प्रियतमैर्यातुं बहिः शक्यते
शीतोत्कम्पनिमित्तमायतदृशा गाढं समालिङ्गयते ।
जाताः शीकरशीतलाश्‌च मरुतो रत्यन्तखेदच्छिदो
धन्यानां बत दुर्दिनं सुदिनतां याति प्रियासंगमे ॥९५॥

વરસાદની ધારાઓથી પ્રિયતમો મહેલમાંથી ક્યાંય બહાર જઇ શકતા નથી. ઠંડીની ધ્રુજારીથી વિશાળ નયનોવાળી સુંદરીઓને ગાઢ આલિંગન આપી શકાય છે. જલબિંદુઓથી શીતલ બનેલા વાયુઓ રતિક્રીડાને અંતે લાગેલા થાકને દૂર કરે છે. પ્રિયાના સંગમાં ભાગ્યશાળી લોકોને ખરેખર દુર્દિન (માઠા દિવસો) પણ સારા દિવસ બની જાય છે.  

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:  

ભરથરી-on wikipedia  

* ભરથરી (કવિ)-on wikipedia  

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia  

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)  

* ઇન્દ્રજવ (કડું) – વધુ માહીતિ અને ઉપયોગ  

कुटज = કુટજ = કડું