આઝાદી અમર રહો
||સુસ્વાગત્તમ્||
© Copyright
© ’વાંચનયાત્રા’ [vanchanyatra],2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Ashok Modhvadia" and "vanchanyatra" with appropriate and specific direction to the original content. ------
==================================
Ashok Modhvadiavanchanyatra.wordpress.com 55/100
Create Your Badge-
નવા લેખો
નવા પ્રતિભાવો
સંગ્રહ
શ્રેણીઓ
- "મારા પ્રતિભાવો" Humour Reblogging અંગ્રેજી અંધશ્રદ્ધા અખો અધ્યાત્મ આત્મકથા કાવ્ય કૉપીરાઇટ ખલિલ જિબ્રાન ખેડૂત ગાંધીજી ગીતગોવિંદમ્ ગ્રામ્યજીવન ચિત્રકથા છપ્પા જયદેવ ડાયરો તહેવાર દાંપત્ય ધ પ્રોફેટ નરસિંહ મહેતા નીતિશતક પરીક્ષા પુસ્તક પ્રકૃતિ પ્રસ્તાવના પ્રેમ ભર્તૃહરિ ભારત ભૌતિક વિજ્ઞાન મહાત્મા ગાંધી માહિતી મિત્રો રાધા-કૃષ્ણ લગ્ન લેખ વિકિપીડિયા વિકિસ્રોત વેબગુર્જરી શિક્ષણ શૃંગાર શૃંગારશતક સંસ્કૃત સંસ્કૃતિ સમાજ સાહિત્ય સુખ હાસ્યલેખ
આજે વધુ વંચાયેલા લેખો
વેબગુર્જરી
My Flickr
ઉત્સાહવર્ધક મિત્રો
અહીં પણ મળીશું
મહેમાનો
અત્યારે ઉપસ્થિતિ:
મેટા
ટિપ્પણીઓ બંધ છે.
મારા પ્રતિભાવો – માનવતા એ જ દેશભક્તી (via અભીવ્યક્તી)
મારો પ્રતિભાવ:
નમસ્કાર, દેશદ્રોહ અને દેશભક્તિનો તફાવત સરસ ઉદાહરણો વડે સમજાવ્યો. જો કે માનવતા અને દેશપ્રેમ વચ્ચેનો સંબંધ બહુ સ્પષ્ટ થયો નહીં ! માનવતા એ દેશ-કાળથી પર એવો સર્વસ્વિકાર્ય ગુણ છે, જ્યારે દેશભક્તિ એ સ્થળ-કાળને સાપેક્ષ છે. અંગ્રેજોના શાસન સમયે આઝાદીના લડવૈયાઓ, સરકાર અને સરકારનો પગાર ખાનારાઓ માટે દેશદ્રોહી ગણાય શકે, આજે તેઓ દેશભક્તો ગણાય. આજે પણ વિશ્વભરમાં પોતાના અલગ પ્રદેશોની માંગ કરનારાઓ દેશદ્રોહીઓ ગણાય છે ને ? કોઇ ને કદાચ અલગ પ્રદેશ મળી જાય તો તેઓ ત્યાંના ઇતિહાસમાં મોટા દેશભક્તો ગણાવા લાગશે. સામાન્ય રીતે દેશભક્તિ એ રાજ્યભક્તિનો પર્યાય મનાય છે. રજવાડાઓના સમયમાં પણ રાજાની વિરુદ્ધ જનારને રાજ્યદ્રોહી ગણવામાં આવતો, તેઓ બહારવટે ચડતા, પોતાના જ લોકોને રંજાડતા અને રાજ્યના સિપાઇઓ જ તેને ઝબ્બે કરવા કે ઠાર મારવાની તાકમાં રહેતા.
તમે જો કરાંચી કે લાહોરમાં જન્મેલા હોય તો, સ્વતંત્રતા પુર્વે કરાંચી કે લાહોરની ધુળ માથે ચડાવો, ત્યાંની ધરતીને વંદન કરો તો તમે દેશભક્ત ગણાતા, અત્યારે આવું કરો તો દેશદ્રોહી ગણાશો.
તમે પાકિસ્તાનનાં એક દર્દીની સારવાર કરી અને તેનો જીવ બચાવો તે માનવતા છે, અને સરહદ પર ઘુસણખોરી કરતા એક પાકિસ્તાની ત્રાસવાદી પ્રત્યે માનવતા બતાવવા જાઓ (ઠાર ન મારો) તો તે દેશદ્રોહ છે !
લેખ સરસ છે, પ્રેરણાદાયી છે, પરંતુ “માનવતા એ જ દેશભક્તિ” તેવો કોઇ સિધ્ધાંત ગળે ઉતરતો નથી, કદાચ એ મારું અજ્ઞાન પણ હોય છતાં આટલા પુરતું હું ક્ષમા માગીશ. શ્રી વલ્લભભાઇ અને આપનો ખુબ આભાર.
Dipak Dholakia:
અશોક્ભાઇ, માનવતા વિનાની દેશભક્તિ નકામી છે. દેશભક્તિ અને રાજભક્તિ પણ ચર્ચાનો વિષય બની શકે.
આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”
Share this:
Like this:
Related