પ્રસ્તાવના મારા વિષે


|| જીવો અને જીવવા દો ||

|| જીવો અને જીવવા દો ||

મિત્રો, નમસ્કાર.

સત્ય હંમેશા બે અંતિમ ધ્રુવોની વચ્ચે ક્યાંક સંતાયેલું હોય છે.જેનો અલ્પાંશ પણ શોધવા માટે બંને અંતિમ ધ્રુવોથી મધ્ય તરફની સફર અનિવાર્ય છે. જે માટેની એક સફર છે આ વાંચનયાત્રા

વાંચન,દર્શન કે શ્રવણ દ્વારા આપણને જે મળે છે તેને માહિતી કહી શકાય, જેની જ્ઞાન શાથે ભેળસેળ કરવાની ભુલ આપણે મોટાભાગે કરીએ છીએ. માહિતીઓ ક્યારેક તટસ્થ તો ક્યારેક પક્ષપાતી પણ હોઇ શકે. માટે મળેલ માહિતીઓને ચિંતનરૂપી અગ્નિમાં તપાવી અને દરેકે પોતાનું અંગત જ્ઞાનરૂપી કંચન તારવવું પડે.

આથીજ જ્ઞાનરૂપી સુવર્ણ એકત્ર કરવાની ઇચ્છા ધરાવનારને, માહિતીરૂપી હજારો મણ માટીને ફંફોસે ત્યારે, તેમાંથી અલ્પાંશે સુવર્ણની પ્રાપ્તિ થાય છે. બીજા શબ્દોમાં કહીએતો સર્વદિશાએથી પ્રાપ્ત થતા વિચારોને, ખુલ્લું મન રાખી, ગ્રહણ કરવા અને ત્યાર પછી તેમાંથી, પોતાના અગાઉના સંચિતજ્ઞાન વડે ઉત્પન્ન થયેલ, અંગત વિવેકબુદ્ધી દ્વારા ચકાસાયેલા, ઉપયોગી વિચારો અલગ તારવવા. આ નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા જ્ઞાનપ્રાપ્તિ માટેનું પ્રથમ ચરણ છે, તેમ મને લાગે છે.  કોમ્પ્યુટરની ભાષામાં કહીએતો માહિતીરૂપી ડેટાને ડેટામેનેજમેન્ટ સોફ્ટવેર દ્વારા ગોઠવી અને ઉપયોગી થઇ શકે તેવો જ્ઞાનરૂપી રિપોર્ટ તૈયાર કરવો.

અત્યારનાં સમયમાં તો માહિતીઓ મેળવવા માટેના અસંખ્ય સ્ત્રોત ઉપલબ્ધ થયા છે. ઇન્ટરનેટ, ટેલિવિઝન, અખબારો, પત્રિકાઓ અને પુસ્તકો તો ખરાજ, આ બધા સ્ત્રોતોમાં કદાચ જાણ્યે અજાણ્યે પુસ્તકો પ્રત્યેની આપણી રૂચી ઘટતી જતી હોય તેવું લાગે છે. વાંચન માટે કાં તો સમય મળતો નથી અને કાં તો ઇચ્છા થતી નથી. આર્થિકરીતે પરવડવાની બાબતનો અહીં ઉલ્લેખ નથી કર્યો, કારણકે સારા પુસ્તકો, હંમેશા મોંઘા નથી હોતા!

તો, આટલી ભૂમિકા બાંધ્યા પછી, અહીં હું શું રજુ કરવા માંગુ છું તે બાબતે થોડું જણાવવાની રજા લઉં. લખવું એ મારે માટે અઘરી બાબત છે.  હા, વાંચન એ મારો પ્રિય શોખ છે. અને આગળ કહ્યું તેમ મને ઉપલબ્ધ તમામ વિષયો,પ્રકારોના પુસ્તકો હું વિનાપૂર્વાગ્રહ વાંચું છું. જેમાં ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, ચિંતન, કલા જેવા ઘણા વિષયો આવી જાય છે. ટુંકમાં હું આઇન્સ્ટાઇન થી લઇને એલિસ્ટર મેક્લિન અને ઋષિમુનિઓ થી લઇને રસિકભાઇ સુધીના સૌની કૃતિઓને મારી અલ્પબુદ્ધી પ્રમાણે સમજવાનો પ્રયત્ન સત્તત કરતો રહું છું.

આ બધા વાંચનમાંથી મને જેટલું ગમ્યું હોય, કે મને જે અલ્પમાત્રામાં સમજાયું હોય, તે ટુંકમાં અહીં રજુ કરવાનો પ્રયત્ન કરીશ. આમા પણ તટશ્થતાતો નહીંજ રહે, કારણકે, આ બધું મને ગમતું કે મને સમજાતું જ રહેવાનું. પરંતુ મારા મિત્રો અને સ્નેહીજનો આમાંથી પોતાને ગમતુંજ ગ્રહણ કરવા માટે છુટમાં છે.

કારણકે, અંતે તો આપણે સૌએ પોતાની સભ્યતા,સંસ્કૃતિ અને સંસ્કાર મુજબ પોતપોતાનું જ્ઞાન જ ઉત્પન્ન કરવાનું છે ને, જે જ્ઞાનનો વ્યવહારૂ ઉપયોગ તેને ડહાપણમાં રૂપાંતરીત કરી અને સત્યની વધુ નજીક જવાનો માર્ગ બતાવી શકે.  આઇન્સ્ટાઇન દ્વારા ઉજાગર કરાયેલા સાપેક્ષતાનાં સિદ્ધાંત મુજબ, બ્રહ્માંડમાં, પ્રકાશની ગતી સિવાય, દરેક વસ્તુ સાપેક્ષ છે. તો સત્ય પણ સાપેક્ષ ગણવું રહ્યું. આથીજ તો મારૂં સત્ય આપને અને આપનું સત્ય મને સંપૂર્ણપણે લાગુ પડેજ તે જરૂરી નથી. અને તેથીજ, સૌએ પોતપોતાના સત્યની શોધ કરવીજ પડે છે. અને આ રવાડે ચઢનાર, ઓછામાં ઓછું ડાહ્યો (અને વધુમાં વધુ દોઢડાહ્યો !!) તો ગણાશેજ.

તો અંતે, સૌ મિત્રો ડહાપણની (કે દોઢડહાપણની!) આ યાત્રામાં માર્ગદર્શન કરતા રહી મને ઉપકૃત કરશે તેવી અભ્યર્થના સહ:               — અસ્તુ

Hello Friends !!! Click to meet me !

સંપર્ક:  ashokmodhvadia@gmail.com

* મારા ફ્લિકર ચિત્રો

* સભ્ય:વિકિપીડિયા

* યોગદાન:વિકિપીડિયા 

* ફેસબૂક

 ********************************************************************

અને અંતે ઘણા મિત્રોની લાગણી અને માંગણીને લઇને થોડી ભૌતિક ઓળખ. આમતો વ્યક્તિ કરતા તેના વિચારો અને કાર્યની ઓળખ વધુ મહત્વની હોય છે, છતાં એક રિવાજ સમજીને ટુંકમાં પરિચય આપું તો :

નામ : અશોક મેરામણભાઇ મોઢવાડીયા

આયુ : ૪૩ વર્ષ (૨૦૧૦)

વસવાટ : જુનાગઢ (વતન : પોરબંદર),  બંન્ને શહેરને મારી બે આંખ જેટલો પ્રેમ કરૂં છું.

અભ્યાસ: ધો-૧૨ સુધી વિજ્ઞાન પ્રવાહ અને ત્રણ વખત સુધી બોર્ડને કદર ન થઇ તેથી પછી IGNOU માંથી પરિક્ષા પાસ કરી અને B.Com કર્યું ! (એટલે આમ તો ’અભણ’ કહી શકાય !! ) પરંતુ વિજ્ઞાન પ્રત્યેનો પ્રેમ અને અહોભાવ જળવાઇ રહ્યો છે.

પેટયું રડવા માટે : સ્વરોજગાર (વ્યાપાર) અને આથી ઇ-નેટ થી લઇને સઘળું જાતમહેનતનું જ વાપરૂં છું !!

શોખ, કાર્ય, વગેરેની અન્ય માહીતિઓ આપને ઉપરની લિંક્સ દ્વારા પણ મળી શકે છે. બસ આથી વધુ કોઇ મોટો વાઘ માર્યો નથી !  ટુંકમાં “કોમનમેન !”   આભાર.

(अच्छा !  कोमनमेन  ??  तो तो पकड ही  लेंगे !!! — (नसिरूद्दिन,  वेन्सडे) )

82 responses to “પ્રસ્તાવના મારા વિષે

  1. પરોસ્પરોગ્રહ જીવાનામ એટલે દરેક જીવે પરસ્પર રીતે બધાને જીવવા દેવું જોઈએ.

    મારે એની તલવાર પ્રમાણે ભારત ઉપર ૧૦૦૦ વર્ષ સુધી મુસ્લીમો અને અંગ્રેજ હાકેમોની ધાક ચાલતી હતી. પડતીની શરુઆત પૃથ્વીરાજથી થઈ અને શીવાજીના જમાનામાં જજીયાવેરો પણ લાગુ થયો.

    સ્વતંત્ર ગણ રાજ્યમાં પાળીયા, પુતળા, ખાંભીઓની પુજા અને પ્રાર્થનાનું મહત્વ એટલું જ રહ્યું.

    આટલી પુર્વ ભુમીકા પછી મીત્રની છેલ્લી લીટી : અને તેથીજ, સૌએ પોતપોતાના સત્યની શોધ કરવીજ પડે છે. અને આ રવાડે ચઢનાર, ઓછામાં ઓછું ડાહ્યો (અને વધુમાં વધુ દોઢડાહ્યો !!) તો ગણાશેજ.

    Like

    • માન.વોરાસાહેબ, આભાર. આપનું પ્રોત્સાહન મળશે જ તેવી ખાત્રી હતી, અને જુઓ મળ્યું પણ ખરું!
      જરૂરી માર્ગદર્શન મળતું રહેશે તેવી અભ્યર્થના સહ:

      Like

      • પ્રસ્તાવના, પરીચય, લેખ, પાઠ, કવીતા એક વખત લખ્યા પછી વરસના વચલા દહાડે કયારે પણ ફેરફાર કરી શકીએ છીએ. આવી અદ્દભુત સગવડ તો નેટ ઉપર જ શક્ય છે.

        બીબીસી હીન્દી બ્લોગ ઉપર ચર્ચા હતી. पत्रकारों में बौद्धिक स्तर कम होता है? प्रेस परिषद के अध्यक्ष मार्कंडेय काटजू का कहना है कि आमतौर पर पत्रकारों का बौद्विक स्तर कम होता है. उनकी इस राय से आप कितने सहमत हैं? કોમેન્ટ તો ઘણાં ઓછાએ આપી છે (૫૨ જણાંએ) અને એમાં મારી કોમેન્ટ અપ્રુવ પણ ન થઈ. આ છે નેટ જગતનો ફાયદો.

        Like

  2. અશોકભાઇ,
    નમસ્કાર.
    નવું કાર્ય શરુ કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ.
    –સતિષ

    Like

  3. શ્રી અશોકભાઈ,
    આપ નવી પેઢીના વિચારવંત પ્રતિનિધિ છો.એટલે અહી થી નવું નવું ચોક્કસ જાણવા મળશે જ.આપણી વાત સાચી છે દરેક ના સત્યો જુદા જુદા હોય છે.પ્રકાશ ની ગતિ સિવાય બીજા સત્યો સાપેક્ષ છે.તો અશોક ભાઈ આ જે લોકોને સત્ય લાધ્યું છે એવું કહેવાય છે,જેવા કે મહાવીર,બુદ્ધ,લાઓત્સે,જે કૃષ્ણ મૂર્તિ અને બીજા અનેક આ બધા પ્રકાશ ની ગતિ માં ખોવાઈ તો નહિ ગયા હોય ને?કારણ એમને શું લાધ્યું છે?એ બાબત કશું કહેતા નથી.અવ્યાખ્યેય.

    Like

    • આભાર ભુપેન્દ્રસિંહજી,આપનું નિરીક્ષણ યોગ્ય છે.
      આ બધું નાના મોં એ મોટી વાત જેવું તો લાગશે, પરંતુ બુદ્ધ,લાઓત્સે કે આપણાં પ્રાચિન ઋષિઓ કે ગ્રંથકારો વગેરે આપણા પૂર્વજોએ જે જ્ઞાન અર્જીત કર્યું, તે તેમને માટે તો અંધકારમાંથી પ્રકાશની ખોજ કરવા જેવું હતું, હવે આપણે ક્યાં ફસાણા છીએ, કે પૂર્વજોએ મહામહેનતે આપણે માટે જે જ્ઞાનરૂપી પ્રકાશ કરી આપ્યો, તેનાં ચકાચોંધ અજવાળામાં આપણી આંખો ઉલ્ટાની અંજાઇ ગઇ !! કોઇ માટે રામનામ સત્ય છે, તો કોઇ માટે કોઇ અન્ય નામ સત્ય છે!! કોઇ ને આઇન્સ્ટાઇન તો કોઇ ને ન્યુટન પર જ ભરોસો છે. આ બધું પેલા આંધળાઓ અને હાથીની વાર્તા જેવું થયું. સૌને પોતાને અનુભવાતો આકાર જ હાથીનો હોય તેવું લાગે છે. તેમની દ્રષ્ટિએ! તેઓ પણ ખોટા નથી, પરંતુ તે જ દ્રષ્ટિએ અન્યો પણ સાચા તો છે જ ને? તો આ થયું સૌનું પોતપોતાનું સત્ય. જે ને પકડી રાખવામાં કશો વાંધો નથી, પરંતુ જો વિવેકબુદ્ધી વાપરી અને સૌ પોતપોતાનાં સત્યોને એકઠ્ઠા કરી જુએ તો કદાચ હાથીનું વધુ અસલ સ્વરૂપ સામે આવી શકે. અહીં હું એક આંધળાની દ્રષ્ટિએ! મારા વાંચન અને અલ્પજ્ઞાન વડે ઉત્પન્ન થતો હાથીનો આકાર વર્ણવું છું. અને આશા રાખું છું કે સૌ રસિકજનો એ જ રીતે, પોતાને સત્ય દેખાતો આકાર વર્ણવે, પરંતુ ત્યાર પછી અન્યને દેખાતા આકાર શાથે તેને વિવેકપૂર્વક મેળવી અને સંપૂર્ણ આકાર (કે જે સત્યની વધુ નજીક હોય શકે) શોધવાનો પ્રયત્ન પણ કરે. આપ સમા સૌ વિચારક મિત્રોનો સહયોગ અને સલાહ મળતા જ રહે તેવી પ્રાર્થના સહ:

      Like

  4. બ્લોગજગતમાં સ્વાગત છે.
    અખો અહીં ખેંચી લાવ્યો. તમારા મધ્યકાલિન સાહિત્ય માણવું ગમશે.

    Like

  5. મળેલ માહિતીઓને ચિંતનરૂપી અગ્નિમાં તપાવી અને દરેકે પોતાનું અંગત જ્ઞાનરૂપી કંચન તારવવું પડે.

    GOLDEN THOUGHTS.
    YOUR MASTERY OBSERVED.Nicely sankalan.
    Ramesh patel(Aakashdeep)

    Like

  6. શ્રી અશોકભાઈ,
    બ્લોગજગતમાં આપનું હાર્દીક સ્વાગત છે.
    આઇન્સ્ટાઈન થી લઈને એલીસ્ટર મેક્લીન અને ઋષીમુનીઓ થી લઈને રસીકભાઈ સુધીની કૃતીઓમાંથી આપણે પોતપોતાના સત્યની શોધ કરવાના રવાડે ચઢનાર, ઓછામાં ઓછું ડાહ્યો (અને વધુમાં વધુ દોઢડાહ્યો !!) તો અવશ્ય ગણાશે..

    Like

  7. અત્યંત સુંદર બ્લોગ.મુલાકાત લઈને આનંદ થયો..તેના કરતા પણ વધુ આનંદ થયો..જીવદયાની વાતો વાંચીને.હુ પણ વન્યજીવપ્રેમી હુ..મોરારી બાપુ કહે છે કે “જીવમાં શિવ છે અને શિવમાં જીવ છે”

    Like

  8. wecome to great gujarati blogs world..your site looks great..keep it up.

    Like

  9. આભાર, શ્રી શુકલસાહેબ, શ્રી રમેશભાઇ, શ્રી ગોવિંદભાઇ, શ્રી રજનીભાઇ, શ્રી બારડસાહેબ સૌ મિત્રો અને વડીલોનો સાદર આભાર.
    જરૂરી માર્ગદર્શન મળતું રહેશે તેવી અભયર્થના સહ:

    Like

  10. અભિનંદન .. સુસ્વાગતમ ..!

    Like

  11. અશોકભાઇ રામ રામ નવો બ્લોગ તમે ખુબ જ સરસ બનાવ્યો છે. તમને લાખ લાખ અભિનદન

    Like

  12. શ્રી અશોકભાઈ,
    આ આપે ઉપર સિંહ ની સાથે ઘેટા નો ફોટો મુક્યો છે,ને નીચે લખ્યું છે”જીવો અને જીવવા દો”.હવે પ્રશ્ન એ છે કે સિંહ જો ઘેટાઓને જીવવા દે છે તો એ મરવાનો.એટલે એમાં એક નું મરણ તો થવાનું.અને હવે ઘેટાઓ વધી જશે તો વનસ્પતિનો નાશ થવાનો.અને હવે સિંહ તો ગીર માં ખાલી ૩૦૦ જેટલા જ વધ્યાં છે.અને દેશ આખો ઘેટાઓ થી ભરાઈ ગયો છે.થોડા ઘેટા ઓછા થશે તો ચાલશે,પણ સિંહ બચાવો.શું માનવું છે આપનું? મજાક માં લખ્યું છે બધું.

    Like

    • શ્રી ભુપેન્દ્રસિંહજી, આભાર.
      વાત શું છે કે ’જેમ્સ બોન્ડ’ નાનપણથીજ મારો ફેવરીટ હીરો! અને તેનાં એક ચલચિત્રનું પણ નામ હતું ’લીવ એન્ડ લેટ ડાઇ’ (જીવો અને મરવા દો). ઘણા સમય સુધી મારો અંગત અભિગમ પણ એવો જ રહ્યો,પછીથી થોડી મેચ્યોરીટી અને થોડો વાંચનશોખનો પ્રભાવ,આથી અભિગમમાં પણ બદલાવ આવ્યો! આ ૧૮૦ ડિગ્રીના ટર્નને દર્શાવવા માટે ઉપરોક્ત સુત્ર એકદમ ફીટ લાગ્યું. શાથે હાર્ડડિસ્કમાં ખાંખાખોળા કરતા ક્યારેક સેવ કરેલું આ ચિત્ર મળ્યું જે આ શાથે એકદમ હીટ લાગ્યું ! અહીં હીંસા-અહીંસા બાબતે મનમાં કોઇ વિચાર ન હતો પરંતુ મુખ્ય વિચાર ’વિશ્વાસ’ અને ’સંસ્કાર’નો હતો. એક નિર્બળ જીવ પણ સૌથી બળુકા જીવની સોડમાં શાંતીથી ક્યારે પોઢી શકે? વિશ્વાસ હોય ત્યારે. ઘણાં વર્ષ પહેલાં અમદાવાદ, કાંકરીયા પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહ અને કુતરાને પાંજરામાં શાથે રહેલા જોયા હતા. આ બધું કદાચ સ્વભાવ પર સંસ્કારના વિજયને દર્શાવે છે. અને સંસ્કાર પરનો મારો દઢ વિશ્વાસ દર્શાવવા માટે પણ આ ચિત્ર મને યોગ્ય,પ્રતિકાત્મક લાગ્યું. તો વાત આમ છે!!
      બાકી તો જેનો ખોરાક વનસ્પતિ હોય તે પણ થોડા કંઇ બધીજ વનસ્પતિનો નાશ કરી નાખે છે? ઉલ્ટા,પોતાના સ્વાર્થ માટે પણ, વનસ્પતિનો વધુ વિકાસ થાય તેવા પગલા ભરે છે. સિંહ જેવા પ્રાણીઓનું પણ તેવું જ છે, ભુખ સમાવવા માટે જ શિકાર કરે છે, જરાયે બિનજરૂરી હિંસા નહીં. જો કે હિંસા-અહિંસા બાબતે આપે ઘણું જ્ઞાનપ્રદ ચિંતન કર્યું જ છે.
      અને અંતે આપે જે ભાવાર્થમાં સિંહ-ઘેટાને લીધા છે તેમાં આપ સંપૂર્ણપણે સાચા જ છો. દરેક ક્ષેત્રે સિંહ ઘટતા જાય છે અને ઘેટાંઓ વધતા જાય છે, કારણકે સિંહ બનવા માટે બહુ વિચારવું પડે છે!! જ્યારે ઘેટાંઓને તો ડંગોરો જે બાજુ હાંકે તે બાજુ હાલવા માંડવાનું ! બહુ વિચાર-વિચાર કરવાની કંઇ જરૂરજ નહીં !!
      આ મને આટલું વિચારવાની તક આપવા બદલ (અને થોડી વાર માટે સિંહ જેવી અનુભુતી કરાવવા બદલ 🙂 ) ખુબ આભાર.

      Like

  13. અભિનંદન અશોકભાઈ !
    આપના બ્લોગ ઉપર મુલાકાતતો લેવાઈ ગઈ પણ આપના વિષે જાણવા આજે ફરી મુલાકાતે આવી પહોંચ્યો ! મજા આવી ! આપ માત્ર સુંદર લખતા જ નથી પરંતુ વિચારપ્રેરક પણ લખો છો અને એવું લાગે છે કે આપણાં વિચારો ક્યાંક સમાન લાગે છે. The way of thinking seems on same and similar track અને તેથી વધારે આનંદ આવે છે ! અલબત્ત હું આપના જેટલો અભ્યાસુ નથી તેમ છતાં મારા વિચારોનું ઘડતર જે રીતે થયું છે તે આપના વિચારોથી નજીકનું છે ! આપનું સ્વાગત અને સફળતાની શુભેચ્છા સાથે
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  14. અશોકભાઈ

    આપણે ઘણા સમયથી સંપર્કમાં હોવા છતાં આજે તમારા બ્લોગની મુલાકાત લઈ શક્યો એ માટે મારી થોડી અણઘડતા/અણાઅવડત અને આળસ પણ (બે)જવાબદાર છે.. જો કે હવે તો ગુગલ રીડર દેવતાને તમારૂં બ્લોગ યુઆરએલ સુપ્રત કરી દીધુ છે એટલે નવા લેખની જાણકારી મળતી રહેશે અને ટાઈમ મળશે તેમતેમ તમારા બ્લોગની અનિયમીત રીતે મુલાકાત પણ કરતો રહીશ.. ઑલ ધી બેસ્ટ ફોર નાઉ.. મળ્યા પછી નિરાંતે

    Like

  15. Ashokbhai,
    1st time to your Blog !
    Nice to know YOU and your BLOG !
    Welcome to the GUJARATIWEBJAGAT !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you & your READERS to my Blog Chandrapukar !

    Like

  16. વણઝારી ચોક માં એક સાદી દુકાન માંથી વિશ્વ ની સફર કરતા કોમન મેન ને અભિનંદન

    Like

  17. ram :hello sir!!!!
    i m modhvadiya ram i m doing m.c.a in pune university in lonavlai have read our details not details but it’s a funny story and then i remember the song of three ideots “give me some sunshine”its for me and “all is well” for uthank u ….coman man….tiger….ashok modhvadiya

    have a nice day

    Like

  18. nice to know and read…

    porbandar..my sweet home town..never forget it..love porbandar…

    Like

  19. અશોકભાઈ,
    શું કહેવું? મહેમાન ડેલી,ફળિયું , પગથિયા.. વટાવી દે. ઓસરીમાં ખાટલે બેસી જાય. પછી એની હારે ચાપાણી પણ થઈ જાય. અલકમલકની વાતો પણ થઈ જાય.
    ને ત્યારપછી જો એને એમ કહીએ કે: એ આવો આવો.. જબરા ભૂલા પડ્યા!
    તો કેવું લાગે?
    એટલે હવે સ્વાગતની વાત તો મોડી ગણાશે.
    પણ કહેવું પડશે કે: તમે આવ્યા છો તો ટેસડો આવે છે.
    એવું લાગે છે કે: ભર્યો ભર્યો કાલવા ચોક અનરાધારે બ્લોગજગતમાં ખાબક્યો છે.

    Like

    • એ રામ રામ, યશવંતભાઇ.
      આપને બ્લોગ જગતમાં જોયા, વાંચ્યા, અને આપની લેખણીમાં જે અદ્દલ કાઠિયાવાડી (હવે તો ગુજરાતી કે ભારતીય, અરે આંતરરાષ્ટ્રીય જ કહોને !) રણકો સાંભળ્યો એથી મનને આનંદ બહુ થયો. જો કે ક્યારેક મહેમાનના આવવાના અને તેની આગતા સ્વાગતા કરવાના હરખમાં આવકારો આપવા જેવો પ્લાસ્ટિકીયો પ્રોટોકોલ ભુલાઇ પણ જાય છે. આપના ઓટલેથી તો અમારા સહિત ઘણાને પ્રેરણા મળે છે, હુંફ મળે છે. અને અમારા આવવાથી આપને અને સૌ મિત્રોને ટેસડો આવ્યો એટલે અમારૂં આવવું લેખે લાગ્યું. અને કંટાળો ત્યારે કહેજો પણ, અહીં ગીરનારમાં ઘણી ગુફાઓ ખાલી જ પડી છે !! (આ તો મજાક થાય છે, બાકી અમે તો કઠગુંદીના ઠળીયા જેવા મે‘માન !! આંગળીએથી ઉખેડો તો કોણીએ ચોંટીએ !!) ક્યારેક રૂબરૂ પધારો, આપણાં એ જ જુના કાળવાચોકમાં બે ઘડી ડાયરો જમાવીશું.
      આપનું માર્ગદર્શન મળતું જ રહે તેવી અભ્યર્થનાસહ: આભાર.

      Like

  20. અશોકભાઇ આજે અનાયાસે આપના બ્લોગની મુલાકાત લેવાઇ ગઇ. આટલી સુંદર અને ગુણવત્તાસભર સામગ્રી આપવા બદલ આપને સલામ… ખૂબ સુંદર કાર્ય આપ કરી રહ્યા છો.

    Like

  21. શ્રી અશોકભાઈ,

    આપનું વાંચન , ચિંતન ,અને લેખન આ ત્રણ “ન ” આપને

    સર્વથી અલગ તારવે છે. આપ સત્યના ઉપાસક એવા બાપુના

    શહેરમાં જન્મ્યા અને જ્યાં ગઢ ગરવો છે અને જેની પ્રદક્ષિણા

    થાય તેમજ જેની બલિદાનો અને નરસૈયાના ભજનો પ્રભાતિયા

    દેશ વિદેશે ગવાય એવા શહેરો ને અપનાવી સભ્યતા ,સંસ્કૃતિ

    અને સંસ્કારનું ભાથું પીરસવાની લાખેણી નેમ લઇ બેઠા છો

    તેજ તમારો પરિચય છે…. અભિનંદન…. ધન્યવાદ.

    Like

  22. અશોકભાઇ,
    તમને પહેલાં જાણ્યા, તમારા વિશે આજે જાણ્યું,
    બોર્ડે કદર ન કરી અને તમે ઇગ્નૂમાંથી કૉમર્સ કર્યું. તે ન કર્યું હોત તો પણ ચાલત. તમે પોતે જ ડિગ્રી છો. મને મન થાય છે કે હું ‘અશોક મોઢવાડિયા’ કરી લઉં. બૅચલર ઇન અશોક મોઢવાડિયા (B. AM)! તમારે ત્યાં મળવા આવતો રહીશ.

    Like

  23. આભાર, શ્રી ચેતના બહેન, રામભાઇ, નીલાબહેન, કિરણસિંહજી, ગોવિંદભાઇ, દિપકભાઇ સૌ મિત્રો વડિલોનો હાર્દિક આભાર. આપનું અમુલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે તેવી અંતરની ઈચ્છા.

    Like

  24. અશોકભાઈ, ખુબ ખુબ અભિનંદન આપને આ કાર્ય માટે અને વાંચનથી આપ પ્રગતિ સાધો તેજ અભિપ્સા સહ..કદી અમારે આંગણ પધારશો..

    Like

  25. Ashokbhai
    સાધારણ માનવ ,આભાર ખુબ ઉપયોગી માહિતી આપો છો જે સાધારણ માનવનું
    કામ નથી.

    Like

  26. નમસ્તે અશોકભાઈ
    તમારી વચન યાત્રા સફળ થાય તેવી શુભેચ્છા

    Like

  27. dear ashok bhai
    નમસ્તે! આજે અચાનક જ તમારો બ્લોગ અને થોડાક લેખો વાચી ગયો. ઘણું જ ગમ્યું. શિષ્ટાચાર વિષે નો લેખ ઠીક છે. તેમાં નવું કઈ જ નથી. મોટા ભાગ ના લોકો (બ્લોગર્સ ) બધું જ જાણતા જ હોય છે. વાચકો પણ હવે સજ્જ થતા જાય છે જ. ભાવ -પ્રતિભાવ મળે તો સારું , ના મળે તોય એવું ના માનવું કે લોકો વાચતા નથી.સવાલ સમય અને સંવેદના નો છે.નિસ્બત નો છે.હું મોટે ભાગે પ્રતિભાવો નથી આપતો , ઇચ્છા તો થાય જ છે તેમ છતાં સમય નો અભાવ લાગે છે.ખેર, આ બધું વ્યક્તિગત છે.મૂળ વાત આપણીપ્રબળ ઈચ્છા ની છે.
    તમારી આ વા ચન યાત્રા અવિરત રહે એવી ભાવના -શુભ કામના.આપણે દિલ થી કામ કરીએ તો વહેલા મોડા પણ એનું સારું પરિણામ આવે જ છે. અભણ માણસો મને વધુ આકર્ષે છે. ભણેલાઓ એ આ દેશ ની ઘોર ખોદી નાખવામાં બાકી નથી રાખ્યું ! કોણ ભણેલા? કોણ અભણ ?ચાલો, હવે અટકું! અભાર, અભીનંદન , અહોભાવ.

    Like

    • શ્રી દિલિપભાઇ, નમસ્કાર. આપનું સ્વાગત.
      આપે બહુ સરસ અને ઉત્સાહપ્રેરક વાત કહી; “આપણે દિલ થી કામ કરીએ તો વહેલા મોડા પણ એનું સારું પરિણામ આવે જ છે.” ધન્યવાદ.

      શિષ્ટાચાર વિષે ના લેખ બાબતે એ પણ સાચું કે મોટાભાગે તો બધા આવો સાદોસીધો શિષ્ટાચાર જાણતા જ હોય છે, આ તો માત્ર ’વર્ડપ્રેસ’ તરફથી માર્ગદર્શન કરાયું તે ગુજરાતીમાં પણ યથામતિ મૂકવાનો પ્રયાસ કર્યો. (માત્ર એક માર્ગદર્શક સૂચન તરીકે)

      સમયની અનુકૂળતા હોય ત્યારે જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહેશોજી. આભાર.

      Like

  28. કોમનમેન! I thought we are mangoman/woman 🙂 (aam aadmi)
    first time, i read this…:) nice to know about you….those who know reading and writing are not ‘Abhan’ at all…

    Like

  29. Thanks, maari kavita tatha, eno sandarbh sachhi rite samji ne comments karva badal.(Ref: He Ram–Gandhi fari Hanaayo,Kurukshetra)

    Like

  30. અરે વાહ, પોરબંદર નામ વાંચી મનનો દરિયો ઉછળવા લાગ્યો. પોરબંદરની એ ચોપાટી, મારી બાલુબા કન્યા વિદ્યાલય, મારું આર્ય કન્યા ગુરુકુળ અને મહિલા કોલેજ (1970-73)…. આંખ સામે તરવરી ઉઠ્યા.. હમણાં જ જુનાગઢ આવીને ગિરનારના ચરણસ્પર્શ કરતી આવી…

    વાંચનનો શોખ જ ન્યારો છે.. હવે તમારા લેખો વાંચતી રહીશ..

    મારા મત પ્રમાણે માહિતીથી જાણકારી વધે. જ્ઞાન અંદરથી ઉગતી ચીજ છે. કોઇ જાતની માહિતી વગર સાવ અભણ માણસ પાસે પણ જ્ઞાન હોઇ શકે. જ્ઞાન એટલે સમજણ, સારાસારનો વિવેક. અંતરમાંથી પ્રગટતી પ્રજ્ઞા…

    લતા જ. હિરાણી

    Like

  31. aa comanmen ek to hata gujarat ma “narendra modi” ane have tame bija cho

    Like

  32. તમારું નામ સાંભળ્યું હતું. આજે પહેલી વાર આવ્યો! વિચારો જાણી રસ પડ્યો. કોઈ પણ મુકત મનના માણસ સાથે દોસ્તી બાંધવી ગમે છે. ( નીડ નોટ બી – વિવેક પંથી!)

    વિકીપિડીયામાં અનુદાન હવે જોઈશ. કશુંક સાથે નક્કર કરવું હોય તો સમ્પર્ક ચાલુ રાખવો ગમશે.

    Like

    • શ્રી.સુરેશભાઇ, સ્વાગત.
      આપ સમા, બ્લોગ જગતના પણ, વડીલ એમ કહે કે ’તમારું નામ સાંભળ્યું હતું’ એ તો અમારે માટે ગર્વની વાત છે. સાહેબ મધ્યમમાર્ગી માણસ છું, આપે પ્રોત્સાહિત કર્યો એ બદલ ખુબ ખુબ આભાર. ચોક્કસ મળતા રહીશું. ધન્યવાદ.

      Like

  33. આદરણીયશ્રી. અશોકભાઈ

    મે આજે તમારા વિશે વિશેષ જાણકારી

    આપના બ્લોગ દ્વારા જાણવા મળી

    સાહેબ આપ ખુબજ ખુલ્લા દિલના માણસ છો

    તે જાણી ખુબજ આનંદ થયો, આપે ભણતર વિશે જણાવ્યુ તે હુ પણ એમાંનો જ એક છું.

    આપે સહજ ભાવે આપના વિશે દિલ ખોલીને લખેલ છે,

    સાહેબ આપ દિલના ચોખ્ખા છો,

    કિશોરભાઈ પટેલ

    Like

  34. Ashokbhai,
    accidentally, and also purposely came to visit your blog. found it very interesting. your thinking is highly advanced considering your educational qualification. your maturity of thought is supreme. may be i will keep coming to your blog very often. Thanks for sharing your thought.

    Like

  35. શ્રી.પ્રદિપકુમારજી, સ્વાગત અને આભાર.
    મારા વિચારોમાં કંઈક વખાણયોગ્ય દેખાયું તે આપની સજ્જનતા અને પ્રેમ છે. થોડોઘણો વાંચનનો શોખ છે અને સારા એવા વિદ્વાન મિત્રોનો સથવારો મળ્યો છે તેથી કરીને થોડું ડહાપણ કરી શકું છું. સૌને વાંચીને મને પણ થોડું લખવાની ચાનક ચઢે છે, અંગ્રેજીની અણઆવડત ક્યારેક નડે છે પરંતુ હવે તો મિત્રો બ્લોગ જગતે ગુજરાતીમાં પણ સ_રસ જ્ઞાન પીરસે છે તેથી ઘણું જાણવા મળે છે.
    પ્રોત્સાહિત કરી અમારો ઉત્સાહ વધારવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.

    Like

  36. આદરણીય઼ અશોકજી આપના વિચારો ખુબ જ પ્રભાવિત કરી ગયા
    આપના બ્લોગ ની મુલાકાત લીધી
    ખુબ જ આનંદ થયો
    આપના વિચારો ને સલામ !!!

    -શ્યામ

    Like

  37. અશોકભાઇ તમારૂ કોમન્‍ટનું ચિત્ર બદલી શકોતો ખૂબજ સારૂં.

    Like

  38. નીચે આપેલી લીંક ઈન્ડીબ્લોગર પરથી લીધી છે જ્યાં જણાવાયું છે કે “Top Blogs on “personal” 6038 blogs found.” અર્થાત છ હજાર પર્સોનલ બ્લોગમાં ૮૩ રેન્ક મેળવીને ૯૩મો નંબર બતાવાયો છે !!! (વાંચનયાત્રા (Vanchanyatra) Ashok modhvadia, Junagadh)
    http://www.indiblogger.in/tagsearch.php?pageNum_searchresults=9&totalRows_searchresults=6038&tag=personal

    Like

  39. આભાર જુગલકીશોરભાઈ,
    નવું રેન્કીંગ તાજેતરમાં જ અપાયું લાગે છે, (હજુ મેઈલ આવ્યો નથી). બ્લોગ પર સુધારી લીધું. ત્યાં નંબર તો માત્ર બ્લોગની યાદી કે ક્રમાંક પ્રકારનો અપાય છે. (કેમ કે એક જ રેન્કીંગ ધરાવતા અનેક બ્લોગ્સ હોય છે) જો કે હમણાં એ લોકોએ કંઈક નવું ’મોઝરેન્ક’ પણ ચાલુ કર્યું છે ! આપણા ઉત્સાહો વધારવા તે લોકો મહેનત કરે રાખે છે 🙂 આભાર.

    Like

  40. પ્રિય અશોક હું તો માનું છુકે ટીકાકારોને લીધે આપને ઘણું શીખીએ છીએ .
    મને એ વાત તારી ગમીકે કોઈ આપણી ટીકા કરે તો તેને ઉશ્કેરાઈ જઈ તડફડ તરત જવાબ ના આપી દેવો .પણ થોડુક જાળવી જવું વધારે નહિ તો ૧૨ કલાક તો ખરું . આથી ઘણું સમજાશે , એટલે પછી વિવેક થી ટીકાનો ઉત્તર આપવો .આમ કરવાથી એની ટીકા આપણને શિખામણ જેવી પણ લાગે . ખરી વાત ?

    Like

  41. વાહ! કો’ક તો પોર નું દેખાણું આ બ્લોગ ની સાઈટ પર…

    Like

  42. ગુજરાતી લહેકો ગમ્યો. ખાસ કરીને કોમન મેન ગમ્યો. બાકી બુધ્ધીજીવીઓનું શું કહેવું ?
    નીચેની લિન્ક કદાચ ગમશે –
    ‘સમાજના બે ‘કોમન’ ભાગ –
    http://www.bestbonding.wordpress.com
    મળતા રહેશું
    જય શ્રી કૃષ્ણ.

    Like

  43. ashokbhai,
    thoda vakyoma pan sampurn parichay vanchyo.din-b-din pragti karta raho
    aavi abhilasha.aapni nikhalshta a mara dilma sthan lai lidhu chhe.aatle have malta raheshu.
    maganlal.patel
    (usa)

    Like

  44. અશોક સર , આજે આપના બ્લોગ પર આવ્યો , ઘણું નવું જાણવા અને માણવા મળ્યું. આવતો રહીશ, આપના અનુભવ , જ્ઞાન અને અનોખી વિચારસરણીનો લાભ લેવા

    Like

  45. પ્રિય અશોકભાઈ;
    પ્રેમ.
    અમારી જુનાગઢની મુલાકાત દરમ્યાન આપે અને આપના પરિવારે કરેલ સ્વાગત અને સરભરા માટે હૃદયપૂર્વક આભાર.મેરામણભાઈ,દક્ષાબેન,માસી,હિરેન અને શ્રદ્ધાને અમારી યાદ અને પ્રેમ.
    તમારી સાથેની માધોપુરની યાત્રા સંભારણું બની રહેશે. ટુંકા સમયમાં તમને આશ્રમ બતાવવાનો હતો એટલે ઘણું બધું રહી ગયું. પણ મને લાગે છે તમે અને તમારા બાળકોએ કુદરતના ખોળે અવશ્ય આનંદ માણ્યો હશે. સમય મળ્યે માસી, દક્ષાબેન અને મહેરામણભાઈને લઈને આશ્રમ બતાવી આવજો. એમને પણ જરુર ગમશે. જુલાઈથી ત્યાં રહેવા જવાની ઈચ્છા છે (હરી ઈચ્છા શું છે તે ખબર નથી)તેથી જુલાઈ પછીનો પ્રોગ્રામ બનશે તો હું ત્યાં હોઈ શકું છું એ પહેલાં જવાનુ થાય તો મને જણાવજો જેથી જેતે સમયે રહેવા, જમવાની વ્યવસ્થા કોણ સંભાળે છે તેને ફોન કરી અગાઊથી કહી શકાય.
    તમારું ઈમેઈલ એડ્રેસ ન હોવાથી અહીં બ્લોગપર લખુ છું એટલે વિસ્તાર નથી કરતો. મારું ઇમેઈલ એડ્રેસ છે. sns1300@gmail.com .ઈમેઈલ કે મોબાઈલથી સંપર્કમાં રહેશો તો ગમશે.
    શેષ શુભ.
    પ્રભુશ્રીના આશિષ
    શરદ.

    Like

    • આદરણીય શરદભાઈ, નમસ્કાર.
      અરે સાહેબ આપની મહેમાનનવાજીમાં અમારાથી કોઈ કસર રહી ગઈ હોય તો અમારે ક્ષમા માંગવાની હોય. આપે કષ્ટ ઉઠાવી મુ.સુરેશભાઈ સાથે અમારી મુલાકાત કરાવી, અમોને આટલા સુંદર અને પવિત્ર સ્થળની યાત્રા કરાવી, એ આપનો ઉપકાર થયો.

      વધુમાં, આપને મેઈલ કર્યો છે. અમ પર સદા આપનો પ્રેમભાવ
      બન્યો રહે એવી અભ્યર્થનાસહઃ આભાર.

      Like

  46. ઉપરની એક કોમેન્ટમાંથી કોપી કરી ફેરફાર સાથે પેસ્ટ કરેલ છે.

    જમવાની ઈચ્છા છે, હરી ઈચ્છા !!!

    Like

  47. અશોકભાઈ,
    તમારા વિષે બધાએ બધું જ લખી નાખ્યું છે, હવે હું શું લખું? બસ શુભેચ્છા.

    Like

  48. શ્રીમાન અશોકભાઈ, તમારા બ્લોગના આંગણે પગ મુક્યો ને તમારા શબ્દો એ મારું ઊર્મિલ સ્વાગત કર્યું. ખુબ આભાર !

    Like

  49. અદ્ભૂત બ્લોગ અને ઉત્તમ વિચારો! જણાય છે કે તમે અનેકાંતવાદ અને સ્યાદ્વાદને પૂર્ણ રીતે સમજ્યો અને પાચાવ્યો છે. સત્યની સાપેક્ષતા પિછાણનારની દ્રષ્ટિ સમ જ હોય!

    Like

  50. ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

    Like

  51. પિંગબેક: મળવા જેવા માણસ..શ્રી અશોક મોઢવાડીયા…. | પરાર્થે સમર્પણ

  52. બધા ફોટા જોયા
    ફોટામાં એક આર્મીનો જવાન છે તે વિષે હું જાણવા માગુંછું

    Like

  53. પિંગબેક: “મળવા જેવા માણસ” – 23 શ્રી અશોક મોઢવાડીયા | Piyuninopamrat's Blog

  54. આદરણીય સાહેબશ્રી.

    આપ ગુજરાતી સમાજની સાચા દિલથી સેવા કરી રહ્યા છો, આપને કોટિ કોટિ વંદન

    ” નવા વર્ષની આપને અને આપના પરિવારને અનેક શુભકામનાઓ “

    Like

  55. ઘણું જ ગમ્યું. …
    નવા વર્ષની આપને અને આપના પરિવારને અનેક શુભકામનાઓ …શ્રી અશોકભાઈ

    Like

  56. Shree Ashok Bhai it is my pleasure to have meet you through your Blog vanchanyatra . I am recently reading your Articles on The Prophet by Khalil Jibran. Thank you Sir.

    Like

  57. ગમતાનો ગુલાલ કરો છો આવી લાગણી તમારી પ્રસ્તાનાવના વાંચીને થાય છે, અશોકભાઈ! દીલ બાગ બાગ . અભિનંદન !

    Like

Leave a comment